કૃતિકા નક્ષત્ર 2024 : ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે

ચોમાસાની શરૂઆત પહેલા કૃતિકા, ભરણી અને રોહિણી નક્ષત્ર મહત્વનો ભાગ ભજવતા હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં કૃતિકા નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે? એ અંગે થોડીક માહિતી મેળવશું.

આ વર્ષે શિયાળામાં મોટાભાગના દિવસો ઠંડીથી બાકાત રહ્યા છે. જે ઋતુનું થોડુ અનબેલેન્સ ગણી શકાય એટલે જ આવી વિચિત્ર પરિસ્થિતિની વચ્ચે 2024 નું ચોમાસું કેવું થશે? એ એક ખરેખર ખૂબ જ અઘરો સવાલ છે.

ચોમાસું ચિત્ર

કેમકે આ વર્ષે શિયાળામાં પણ શરૂઆતના બે મહિનામાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું. ચોમાસાની શરૂઆત કેવી થશે? ચોમાસા દરમિયાન વરસાદ કેવો જોવા મળશે? આ બાબતે ખેડૂતો માટે એક કઠિન સવાલ ગણી શકાય. આવી અમુક સારી તેમજ અમુક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે આવનારું ચોમાસું કેવું જશે? એ બાબતની ચર્ચા આજની પોસ્ટમાં કરશું.

મિત્રો સાયન્સના પેરામીટર મુજબ મોટાભાગના પેરા મીટરોમાં આવનારૂ ચોમાસું સામાન્ય રહે એવા સંકેતો મળી રહ્યા છે. તો બીજી તરફ પણ ભારતની ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટ વેધરના વૈજ્ઞાનિકો દ્વારા આ વર્ષે ચોમાસું 2024 સામાન્ય રહી શકે એવી આગાહી કરવામાં આવી છે. જે ગુજરાતવાસીઓ માટે એક રાહતના સમાચાર ગણી શકાય.

પરંતુ આજે આપણે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના એક પરિબળની વાત કરીશું. જે પણ તમને રાહતનો શ્વાસ લેવામાં મદદ કરશે. તો મિત્રો ગમે તેટલા ખરાબ દોષોનું નિર્માણ થયું હોય, તો પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનના પાસા મુજબ કૃતિકા નક્ષત્ર 2024 માં જો વાદળ વીજળી છાંટા કે માવઠું થાય તો, વર્ષ દરમિયાન બંનેના બધા જ ખરાબ દોષોનું ધોવાણ આ કૃતિકા નક્ષત્ર કરી નાખે છે.

અને આવનારા ચોમાસામાં સારા વરસાદની મહોર આ કૃતિકા નક્ષત્ર મારે છે આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે. મોટેભાગે દર વર્ષે 11 મેથી 24 મે દરમિયાન કૃતિકા નક્ષત્રનો સમયગાળો જોવા મળતો છે.

કૃતિકા નક્ષત્ર 2024

મિત્રો કૃતિકા નક્ષત્ર 2024 દરમિયાન જો આ દિવસોમાં માવઠું થાય તો, વર્ષ દરમિયાન બધા જ દોષોનું ધોવાણ કરી અને સારા જ ચોમાસાનું ચિત્ર ઊભું કરે છે. માટે આવનારું 2024 નું ચોમાસું ટનાટન રહે. આ બાબતે કોઈ શંકા કરવી નહીં. કેમ કે આ સત્ય વિધાન વર્ષા વિજ્ઞાનનું વિધાન છે.

જો કૃતિકા નક્ષત્ર 2024 દરમિયાન આ યોગનું નિર્માણ થાય તો, ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર ગણી શકાય. કેમકે કૃતિકા નક્ષત્ર 2024 દરમ્યાન જો છાટા છૂટી કે પછી હળવું માવઠું થાય તો, શિયાળા દરમિયાન બનેલા બધા જ ગર્ભોનો વરસાદ ચોમાસાના સમયગાળા દરમિયાન જોવા મળે છે. આવું ભડલી વાક્યમાં પણ જોવા મળે છે.

તો વૈજ્ઞાનિક ઢબનું એક પરિબળ એલ નીનો પણ સામાન્ય સારા ચોમાસાના તરફેણમાં રહેશે. અને બીજી તરફ એક બીજું મહત્વનું પરિબળ છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે ભારતના ચોમાસાને સપોર્ટ આપે એવી અપડેટ પણ હવામાનના સાયન્સના મોડલોમાં જોવા મળી રહી છે. જે પણ એક પ્લસ પોઈન્ટ ગણી શકાય.

ટૂંકું અને ટચ આવનારું ચોમાસું 2024 ગુજરાત માટે સારું રહી શકે છે. કેમકે lod સારા ચોમાસાની મહોર મારશે. મિત્રો ઉતાસણી ગયા બાદ ફાગણ મહિનાના 15 દિવસ ખૂબ જ ગરમીનો માહોલ હોવો જોઈએ. ચૈત્ર મહિનાની શરૂઆત પણ ગરમીથી થવી જોઈએ. જો કે ચૈત્ર મહિનામાં આવતા છેલ્લા નક્ષત્ર ઉપરથી આવનારા ચોમાસાનું અનુમાન સ્પષ્ટ થતું હોય છે.

ચોમાસાનું ચિત્ર

જેમાં મુખ્ય નક્ષત્ર ભરણી, કૃતિકા અને રોહિણી આ 3 નક્ષત્ર ઉપરથી ચોમાસાના ચિત્રનો મોટાભાગનો સંકેત મળી જતો હોય છે. ભરણી નક્ષત્રમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો હોવો જોઈએ. ભીરણી નક્ષત્રમાં જ છાટા છૂટી કે રાત્રે વીજળી થાય તો આવનારા ચોમાસા માટે એ એક ખરાબ સંકેત ગણી શકાય.

મિત્રો એ જ રીતે કૃતિકા નક્ષત્ર 2024 દરમ્યાન જો મેધાવી માહોલ જમાવટ કરે અથવા તો ભલે ખાલી માત્ર છાંટા છૂટી થાય તો, પણ આવનારૂ ચોમાસું 2024 સોના જેવું સાબીત થશે.

મતલબ કે આવનારું ચોમાસું ખૂબ જ જમાવટ કરી શકે. કેમકે જો કૃતિકા નક્ષત્ર 2024 માં માત્ર અને માત્ર બે છાંટા પડે તો પણ કૃતિકા નક્ષત્રથી પાછલા દિવસો છેક કારતક મહિનાની શરૂઆત થઈ હોય તે બધા દિવસોમાં જે ખરાબ દોષો ઉદ્ભવ્યા હોય તે બધા દોષોનું એક જ ઝાટકે ધોવાણ કરી નાખે છે.

એટલે કે ખરાબ દોષોનું નિરાકરણ આ કૃતિકા નક્ષત્રમાં થયેલા છાટાથી નબળા દોષોનું બધું જ ફળ સમાપ્ત થાય છે. અને આવનારૂ ચોમાસું ખૂબ જ સારું જાય છે. આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે. એજ રીતે જો રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થાય તો, આવનારા ચોમાસા માટે ખરાબ ફળ ગણી શકાય.

રોહિણી નક્ષત્ર

રોહિણી નક્ષત્ર ના બીજા ચરણમાં જો વરસાદ થાય તો, ઘાસનો સ્તંભ ગણાય એટલે તે વર્ષે ઘાસ સિવાય બીજું કંઈ થતું નથી. મિત્રો રોહિણી નક્ષત્રના પ્રથમ તબક્કામાં જો ગરમી પડે અને રોહિણી નક્ષત્રના છેલ્લા પાયામાં જો હવામાન ઠંડુ જણાય અને જો છાંટા છૂટી પણ છેલ્લા તબક્કામાં જોવા મળે તો આવનારા ચોમાસા માટે એ એક સારી નિશાની ગણાય.

જોકે આ બાબતમાં મતભેદ પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટનો મુખ્ય ઉલ્લેખ કૃતિકા નક્ષત્ર 2024 અંગેનો છે. કૃતિકા નક્ષત્રમાં જે જે વર્ષે માવઠા જોવા મળ્યા છે તે તે વર્ષ મોટેભાગે 12 આની થી 16 આની સુધીના જોવા મળ્યા છે. અને આવા ઘણા બધા વર્ષોના દાખલા આપણે ભૂતકાળમાં જોવા મળ્યા છે.

એટલે જ કૃતિકા નક્ષત્ર 2024 માં જો માવઠું થાય તો, તે માવઠાને ખૂબ જ મંગલમય અને શુભ ગણવામાં આવશે. એટલે જ કૃતિકા નક્ષત્રને આવનારા ચોમાસાની ધોરી નસ સમાન ગણવામાં આવે છે. જો કૃતિકા નક્ષત્રમાં છાંટા છૂટી ન થાય અને જો ભરણી નક્ષત્ર પણ સાવ કોરું જાય તો, પણ આવનારું ચોમાસું દુષ્કાળમય સાબિત થશે નહીં.

મોટેભાગે આવનારું ચોમાસું વરસાદી દિવસો માટે સારું રહે છે. ભલે ધન ધાન્યના ઢગલા ન થાય. પરંતુ પાણીની અછત જોવા મળશે નહીં. એટલે કૃતિકા નક્ષત્રની બંને સાઈડનો દર વર્ષે ખાસ અભ્યાસ કરવો. અમુક અમુક આગાહીકારો માત્ર આખા વર્ષમાં કૃતિકા નક્ષત્રનું જ ચિત્ર જોઈ અને આવનારા ચોમાસાનું અનુમાન લગાવતા હોય છે.

તેઓ કસ કાતરા કે પછી હોળી કે અખાત્રીજના પવનો પણ અભ્યાસ કરતા નથી. માત્ર કૃતિકા નક્ષત્રને આધારે જ આવનારા ચોમાસાનું ચિત્ર સામે ધરતા હોય છે. એટલે જ કૃતિકા નક્ષત્રને ચોમાસાની ધોળી નસ સમાન ગણવામાં આવે છે.

અગાઉના સમયમાં જ્યારે સાયન્સના ઉપકરણો હતા નહીં ત્યારે લોકો નક્ષત્રના વિજ્ઞાન ઉપર ખાસ વિશ્વાસ રાખતા કેમ કે જે તે ઋતુ દરમિયાન જે તે નક્ષત્રમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેની સીધી અસર આવનારા ચોમાસામાં કેવી રહેશે? આ બાબતે સચોટ અભ્યાસ કરતા હતા.

એટલે જ નક્ષત્રનું વિજ્ઞાન આજે સદીઓથી પણ ચાલી આવી રહ્યું છે અને આજના આ ટેકનોલોજી ના સમયમાં પણ ગુજરાત તેમજ રાજસ્થાનના ખેડૂતો આજે નક્ષત્રના વિજ્ઞાન ઉપર અથાગ વિશ્વાસ રાખે છે. એટલે જ ગુજરાત વાસીઓ માટે નક્ષત્ર અંગેની લોકવાયકા આજે વર્ષોથી વણાયેલી છે.

મિત્રો ચોમાસા દરમિયાન જો હવામાનની આગોતરી માહિતી મળી જાય તો, ખેડૂતો માટે એક ખરેખર મદદરૂપ સાબિત થાય. એટલે જ સમગ્ર રાજ્યના હવામાન અંગેની સચોટ અને નિયમિત અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

error: Content is protected !!